ચિત્તથી જે બધું પરહરે,નામ એનું જ માણસ ખરે.
નામ તારું લઈ ઊમટ્યાં,પૂર ના એ હવે ઓસરે.
હાથ મૂક્યો છે એ હાથમાં,જે ભવોભવના ભરણાં ભરે.
કાનજીપો હશે ત્યાં નર્યો,મન મીરાંબાઈનું જે હરે.
હોય ના જો અપેક્ષા કશી,ખોટથી જીવ શાને ડરે?
-સાહિલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment