Thursday, October 30, 2008

શબ્દના દરિયા વહાવ્યે શું વળે ?અર્થના જંગલ જણાવ્યે શું વળે ?
શક્ય છે પાણીય નીકળે રણમહીંમહેલ રેતીના ચણાવ્યે શું વળે ?
આયખું ઝાકળ સમું છે જેમનુંએમને સૂરજ બતાવ્યે શું વળે ?
વાંઝણી છે ભાગ્યરેખા આપણી,કુંડળીઓ જોવરાવ્યે શું વળે ?
અંધકારે જીવવું છે આપણે,શ્વાસના દીપક જલાવ્યે શું વળે ?
- આર. જે. નિમાવત

No comments: